Friday, September 20, 2024
Homeરાજ્યગુજરાતયોગ અને નેચરોપેથી ડીગ્રી ધરાવનારા સ્નાતકો લોકોની સારવાર કરી શકશે

યોગ અને નેચરોપેથી ડીગ્રી ધરાવનારા સ્નાતકો લોકોની સારવાર કરી શકશે

- Advertisement -

નાગરિકોને યોગ અને નેચરોપેથી સારવાર મળી રહે એ માટે રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. હવે યોગ અને નેચરોપેથીની ડીગ્રી ધરાવનારા સ્નાતકો રજિસ્ટ્રેશન કરાવીને એનાથી લોકોની સારવાર કરી શકશે.

- Advertisement -

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન દ્વારા વેલનેસ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે, ત્યારે ગુજરાતમાં પણ આરોગ્ય સુખાકારી વધે અને લોકોનું સ્વાસ્થ્ય જળવાઇ રહે એ માટે ગુજરાત સરકાર દ્વારા હેલ્થ અને વેલનેસ ક્લિનિક(HWC) શરૂ કરવામાં આવ્યાં છે અને તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામા આવ્યો છે, જેમાં આરોગ્ય વિભાગ દ્વારા યોગ અને નેચરોપેથીની ડીગ્રી ધરાવનારા સ્નાતકો હવે રજિસ્ટ્રેશન કરાવીને એના લોકોની સારવાર કરી શકશે.

તેમણે ઉમેર્યું હતું કે વડોદરા ખાતે આવેલી મોરારજી દેસાઇ ઇન્સ્ટિટયૂટ ઓફ નેચરોપેથી અને યોગિક સાયન્સમાંથી બી.એન.વાય.એસ.ની ડીગ્રી ધરાવનારી વ્યક્તિ ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદિક અને યુનાની સિસ્ટમ ઓફ મેડિસિન, ગુજરાત રાજ્ય બોર્ડ ખાતે પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકશે.

- Advertisement -

ગુજરાત બોર્ડ આયુર્વેદિક અને યુનાની સિસ્ટમ્સ મેડિસિન ગુજરાત રાજ્ય ખાતે 1500 રૂપિયા ફી ભરીને પોતાનું પ્રોવિઝનલ રજિસ્ટ્રેશન કરાવી શકશે. રજિસ્ટ્રેશન પાંચ વર્ષના અંતે રિન્યુ કરાવવાનું રહેશે. રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ જે-તે સ્નાતક વ્યક્તિ પોતાના અભ્યાસક્રમ મુજબ યોગ અને નેચરોપેથીની પ્રેક્ટિસ કરી શકશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular