Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરપ.પૂ.શ્રી જ્યોતિમાલાશ્રીજી સાધ્વીજી કાળધર્મ પામ્યા

પ.પૂ.શ્રી જ્યોતિમાલાશ્રીજી સાધ્વીજી કાળધર્મ પામ્યા

બપોરે 3 કલાકે ઉછામણી : 4 કલાકે પોપટ ધારસી બોર્ડીંગ ઉપાશ્રયથી પાલખી યાત્રા નિકળશે

છોટી કાશી તરીકે પ્રખ્યાત જામનગરમાં ઓશવાળ કોલોની ઉપાશ્રય ખાતે સોમવારે રાત્રિના પ.પૂ.પન્યાસ શ્રી વજ્રસેનવિજયજી મહારાજ સાહેબ કાળધર્મ પામ્યા હતાં ત્યારબાદ બુધવારે વહેલીસવારના 5:30 વાગ્યાના અરસામાં પોપટ ધારસી બોર્ડીંગ ઉપાશ્રય ખાતે નવકાર મહામંત્રનું સ્મરણ કરતાં પ.પૂ. જ્યોતિમાલાશ્રીજી સાધ્વીજી કાળધર્મ પામ્યા હતાં.

સોમવારે રાત્રિના ઓશવાળ કોલોની ઉપાશ્રય ખાતે પ.પૂ. પન્યાસ શ્રી વજ્રસેનવિજયજી મહારાજ સાહેબ નાંદુરસ્ત તબિયતના કારણે કાળધર્મ પામ્યા હતાં. 48 કલાક દરમિયાન જામનગર શહેરમાં પોપટ ધારસી બોર્ડીંગ ઉપાશ્રય ખાતે બિરાજમાન વાગડ સંપ્રદાયના પરમ પૂજ્ય આચાર્ય ભગવંત કલાપ્રભ સુરી મ.સા. ના આજ્ઞાવર્તી સાધ્વીજી ભગવંત ચંદ્રલતાશ્રીજી મહારાજ સાહેબના શિષ્યા સાધ્વીજી ભગવંત પ. પૂ. શ્રી જ્યોતિમાલાશ્રીજી (ઉ.વ.75) નવકાર મહામંત્રનું સ્મરણ કરતા આજે સવારે 5:30 વાગ્યે કાળધર્મ પામ્યા છે. ઉછામણીનો સમય બપોરે 3:00 કલાકે રાખેલ છે. તેમની પાલખી યાત્રા બપોરે 4:00 વાગ્યે બોર્ડિંગ ઉપાશ્રય થી નિકળશે અને શહેરના મુખ્ય માર્ગો પર ફરશે. સાધ્વીજી કાળધર્મ પામ્યાની જાણ થતા જૈન શ્રાવક-શ્રાવિકાઓ સાધ્વીજીના અંતિમ દર્શન માટે ઉમટયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular