Friday, October 18, 2024
Homeરાજ્યજામનગરકાલાવડના હત્યાના ગુન્હામાં 10 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

કાલાવડના હત્યાના ગુન્હામાં 10 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

પોતાની ઓળખ બદલી મોરબીમાં રહેતો હતો શખ્સ

- Advertisement -

કાલાવડ હત્યાના ગુનામાં સંડોવાયેલા અને અમદાવાદની જેલમાંથી પેરોલ જમ્પ કરેલ આરોપી છેલ્લા દસ વર્ષથી પોતાની ઓળખ બદલી હાલ મોરબી ગામે રહેતો હોવાની બાતમીના આધારે જામનગર પેરોલ ફર્લો સ્કવોડએ તેને ઝડપી પાડી કાલાવડ ટાઉન પોલીસના હવાલે કર્યો છે.

- Advertisement -

જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક દીપન ભદ્રનની સુચના તેમજ એલસીબી ઇન્ચાર્જ એસ.એસ.નીનામાના માર્ગદર્શન હેઠળ જામનગર પેરોલ ફર્લો સ્કવોડના એ.એસ.ગરચર દ્રારા નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન કાસમભાઈ બ્લોચ, ગજેન્દ્રસિંહ જાડેજા તથા રણજીતસિંહ પરમારને બાતમી મળી હતી કે છેલ્લા 10 વર્ષથી કાલાવડના હત્યાના ગુન્હામાં અમદાવાદ જેલમાંથી પેરોલ જમ્પ કરેલ મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જીલ્લાનો આરોપી હારસંગ લુલીયાભાઈ બામણીયા પોતાની ઓળખ બદલી મોરબી જીલ્લાના બગથળા ગામે રહે છે. તેના આધારે પેરોલ ફર્લો સ્કવોડએ તેને દબોચી લઇ કાલાવડ પોલીસ સ્ટેશનના હવાલે કર્યો હતો.

આ કામગીરી પેરોલ ફર્લો સ્ક્વોડના પીએસઆઇ એ એસ ગરચર, હેડ કોન્સ્ટેબલ ગજેન્દ્રસિંહ, સુરેન્દ્રસિંહ ચૌહાણ, રણજીતસિંહ પરમાર, નિર્મળસિંહ જાડેજા, સલીમભાઈ નોયડા, કાસમભાઈ બ્લોચ, ભરતભાઈ ડાંગર, રાજેશભાઈ સુવા, મેહુલભાઈ ગઢવી, ગીરીરાજસિંહ જાડેજા, ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવ, મહિપાલભાઈ સાદિયા, અરવિંદગિરી તથા એલસીબીના હેડ કોન્સ નિર્મળસિંહ જાડેજા તથા લખમણભાઇ ભાટીયા દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular