ભારતીય જનતા યુવા મોરચા જામનગર મહાનગર દ્વારા ડો. શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મ જયંતિ (સ્મૃતિ પખવાડિયા) નિમિતે જામનગરની હરીયા કોલેજ ખાતે છાત્ર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
સંમેલનમાં મુખ્ય વકતા તરીકે રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા ઉપસ્થિત રહ્યા હતાં. અને ઉપસ્થિત છાત્રને સંબોધન કર્યુ હતું. આ તકે મેયર મોનીકાબેન વ્યાસ, ડે.મેયર રાકેશભાઇ ડેર, સ્ટે.કમીટી ચેરમેન ધીરેનભાઇ મોનાણી, શાસકપક્ષના નેતા અમરભાઇ મોદી, અગ્રણી રમણીકભાઇ શાહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.
View this post on Instagram


