જામનગર તાલુકાના ખીમરાણા ગામમાં રહેતો યુવાન તેના ઘરે નિંદ્રાધિન હતો તે દરમિયાન બેશુદ્ધ થઈ જતા બિમારી સબબ સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના ખીમરાણા ગામમાં રહેતાં સુરજભાઈ હિરજીભાઈ ગોહિલ (ઉ.વ.29) નામનો યુવાન ગત તા.6ના રોજ રાત્રિના સમયે તેના ઘરે નિંદ્રાધિન થયા બાદ સવારે પરિવારજનો દ્વારા ઉઠાડતા ઉઠયો ન હતો. તેથી યુવાનને બેશુદ્ધ હાલતમાં જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન બિમારી સબબ મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ બનાવ અંગે વિજયભાઈ દ્વારા જાણ કરવામાં આવતા હેકો એ.જી. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


