Wednesday, March 11, 2026
Homeરાજ્યજામનગરપેટ્રોલપંપ ઉપર લાંબી કતારો, અફવાઓથી દૂર રહો : કલેક્ટર - VIDEO

પેટ્રોલપંપ ઉપર લાંબી કતારો, અફવાઓથી દૂર રહો : કલેક્ટર – VIDEO

યુદ્ધના કારણે વણસેલી ચેન સપ્લાયનો અફવા ગેંગએ ફાયદો ઉઠાવ્યો : જામનગરના પેટ્રોલ પંપો ઉપર ભયભીત વાહનચાલકોએ લગાવી લાંબી લાઇન : પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાની તથા પેનિક ન ફેલાવવા કલેકટરની જનતાને અપીલ

ઇઝરાયેલ-અમેરિકા અને ઇરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે પેટ્રોલ-ડીઝલ અને ગેસની અછત ન સર્જાય તે માટે ભારત સરકારએ આવશ્યક ચીજવસ્તુ ધારા લાગૂ કરી દેવાયો છે. જેના પગલે ભયભીત થયેલા જામનગરવાસીઓ ગત રાત્રિના પેટ્રોલ પંપએ પેટ્રોલ ભરાવવા માટે લાંબી કતારોમાં ગોઠવાઇ ગયા હતા. અફવાઓમાં આવી જઇ રઘવાયા બનેલા શહેરીજનો માટે કલેક્ટરએ અફવાઓથી દૂર રહેવા અને પેટ્રોલ-ડીઝલ અને ગેસની કોઇ અછત છે નહીં તેવી જાણ કરી તકેદારી રાખવા અને ભયભીત ન થવા અપીલ કરી હતી.

 
વિશ્વકક્ષાએ યુદ્ધની સ્થિતિ ચાલી રહી છે. જેમાં અમેરિકા અને ઇઝરાયેલ દ્વારા ઇરાન ઉપર કરાયેલા હુમલાઓના કારણે ઓઇલ અને ઇંધણના જથ્થાના સપ્લાયમાં અંશત: ઘટાડો થયો હતો. આ પરિસ્થિતિને કાયમી પરિસ્થિતિ સમજી ગત રાત્રિના જામનગરના અમુક શહેરીજનો અફવાઓથી ગેરમાર્ગે દોરાઇને પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ-ડીઝલ ભરાવવા દોડી ગયા હતા. જેના કારણે શહેરના પેટ્રો પંપો ઉપર લાંબી કતારોમાં ઉભેલા શહેરીજનો દેખાયા હતા. યુદ્ધની પરિસ્થિતિમાં જામનગર સહિત ભારતના કોઇપણ શહેરમાં પેટ્રોલ, ડીઝલ, ગેસની અછત છે નહીં અને થવાની શક્યતા પણ નથી. તેવા સંજોગોમાં અફવાઓથી ગેરમાર્ગે દોરવાયેલા શહેરજનો માટે કલેક્ટર કેતન ઠક્કર દ્વારા ખાસ અપીલ કરી જણાવવામાં આવ્યું છે કે, અફવાઓથી ગેરમાર્ગે દોરાવવું નહીં. જરૂરિયાતની ચીજ વસ્તુઓ પેટ્રોલ, ડીઝલ, ગેસ, ઇંધણ કે ખાદ્યસામગ્રીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. તેની કોઇ અછત નથી. માટે પેનિક થઇ ગયેલા શહેરીજનોએ અફવાઓથી દૂર રહી ભયભીત ન થવું અને ભયભીત ન કરવા માટેની અપીલ કરવામાં આવી હતી.
- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular