Sunday, January 11, 2026
Homeરાજ્યજામનગરમકરસંક્રાંતિ બાદ જામનગરના કાલાવડ નાકા બહારના જર્જરીત પુલનું ડીમોલેશન - VIDEO

મકરસંક્રાંતિ બાદ જામનગરના કાલાવડ નાકા બહારના જર્જરીત પુલનું ડીમોલેશન – VIDEO

નવી વસેલી સોસાયટીઓના હજારો લોકોનો આવન-જાવન માટે ડાયવર્ઝન તૈયાર: રૂા.19.48 કરોડ ના ખર્ચ 4 માર્ગીય નવો પુલ બનાવવામાં આવશે

જામનગર શહેરના કાલાવડ ના નાકા બહાર 47 વર્ષ પહેલા બનેલા અને હાલ જોખમી બની ચુકેલા રંગમતી નદી ઉપરના પુલને તોડીને રૂા.19.48 કરોડના ખર્ચે નવો ચાર માર્ગીય બનાવવાની કામગીરી શરૂ થાય તે પહેલા તંત્રએ રોજના હજારો વાહનોના આવન-જાવનમાં બાધા નિવારવા નદીમાં ભરતી ભરીને પાઇપો નાંખીને ડાયવર્ઝન તૈયાર કર્યું છે. આગામી મકરસંક્રાંતિના તહેવાર બાદ પુલ તોડવાની કામગીરીનો આરંભ થશે.

- Advertisement -

જામનગર શહેરમાં કાલાવડના નાકા બહાર અમન-ચમન, રંગમતી, તારમામદ, મકવાણા, નેશનલ પાર્ક, ગેલેક્સી, સિલ્વર-ગ્રીન, રબ્બાની પાર્ક, કલ્યાણ ચોક પાછળ થી મોરકંડા રોડ વિસ્તારોમાં સંખ્યાબંધ સોસાયટીઓ વસી ગઇ છે. જેમાં હાલ હજારો લોકો રહેવા પણ આવી ગયા છે. તમામને શહેરમાં આવવા-જવા માટે એક માત્ર મહત્વનો રસ્તો એટલે રંગમતી નદી ઉપર નો કાલાવડ નાકા બહારનો પુલ છે. આ જર્જરિત પુલ બાબતે રાજયના પૂર્વ કાનુન મંત્રી એડવોકેટ એમ.કે.બ્લોચ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, જામનગર જીલ્લા કલેકટર કેતન ઠક્કર અને મ્યુ.કમિશ્નર ડી.એન.મોદીને આ જર્જરિત પુલ વિષે પત્ર લેખીત રજુવાત કરવામાં આવી હતી. આ દરમ્યાન મોરબીના જુલતા પુલની અને ગંભીરા પુલ ની જીવલેણ દુર્ઘટના બનતા વિસ્તારના લોકોની નવા પુલ માટે ની માંગણી પ્રબળ બન્યા બાદ આ પુલ ને તોડીને રૂા.19.48 કરોડ ના ખર્ચ ચાર માર્ગીય નવો પુલ બનાવામાં આવશે. તેમજ જામનગર મહાનગરપાલિકા દ્વારા ટેન્ડર પ્રક્રિયા કરી લીધા બાદ કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર પણ ફાળવી દીધો હોવાથી આગામી ટુંક સમયમાં કામ શરૂ થવા જઇ રહ્યું છે.

- Advertisement -

આ પુલ ને તોડતા પહેલા જામનગર મહાનગરપાલિકા દ્વારા રંગમતી નદીમાં કાલાવડ તરફ થી આવતાં ડાબી બાજુએ અને શહેરમાંથી આવતાં જમણી બાજુએ ગુજરાતી સિપાઇ જમાત ખાના અને ધનસેરીયા હનુમાન મંદિર પાસે થી રસ્તો કાઢીને ડાયવર્ઝન બનાવ્યું છે. હજી તેના ઉપર કપચી પાથરીને સલામત રોડ બનાવ્યા બાદ સંક્રાંત પછી પુલ ને તોડવાની કામગીરી શરૂ થશે.

આ અંગે જામનગર મહાનગર પાલિકા એક અધિકારી દ્વારા જણાવે છે કે, આગામી ચોમાસમાં નદી આવે તે પહેલા અમુક સુરક્ષિત હિસ્સો તૈયાર કરીને ટુ-વ્હીલર્સ હાલાકી વગર પસાર થઇ શકે. તેવી નવા પુલ ઉપર વ્યવસ્થા કરી રાખવા તંત્રનું લક્ષ્ય છે. આમ લાંબા સમયે કાલાવડના નાકા બહારની સોસાયટીઓના હજારો રહીશોના દૈનિક ટ્રાફીક જામ અને જોખમી પુલની સમસ્યાનો અંત આવી શકશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular