જામનગર શહેરમાં આહીર યુવા ગ્રુપ દ્વારા આહિર સમાજના ભાઈઓ બહેનો માટે સત્યમ કોલોની પાસે આવેલા જેએમસીના ગ્રાઉન્ડમાં શરદપૂર્ણિમા ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી અને રસોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમા હજારોની સંખ્યામાં આહીર સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ જામનગરમાં આહીર યુવા ગ્રુપ દ્વારા આહીર સમાજના ભાઈઓ બહેનો આગેવાનો વડીલો યુવાઓ માટે સત્યમ કોલોની પાસે આવેલા ષળભ ગ્રાન્ઉડ ખાતે શરદપૂર્ણિમા નિમિત્તે ભવ્ય રાસોત્સવનો આયોજન કરવામાં આવ્યું હતું અને ગુજરાતની રાસ ગરબાની પરંપરાને જાળવી રાખીને ખ્યાતનામ કલાકારોની ઉપસ્થિતિમાં આહીર સમાજના તમામ લોકોએ વિવિધ રાસ ગરબા સાથે શરદપૂર્ણિમાની ઉજવણી કરી હતી.