Thursday, October 24, 2024
Homeરાજ્યજામનગરમોટી ખાવડીમાં પરપ્રાંતિય યુવાનનું બીમારી સબબ મૃત્યુ

મોટી ખાવડીમાં પરપ્રાંતિય યુવાનનું બીમારી સબબ મૃત્યુ

કંપનીની બસમાં ઘરે જતાં સમયે તબિયત લથડી : જી. જી. હોસ્પિટલમાં સારવાર કારગત ન નિવડી : પોલીસ દ્વારા કાર્યવાહી

- Advertisement -

જામનગર જિલ્લાના મોટી ખાવડી ગામમાં રહેતો અને ખાનગી કંપનીમાં નોકરી કરતો યુવાન બસમાં બેસીને કંપનીમાંથી તેના ઘરે જતો હતો તે દરમિયાન રસ્તામાં તબિયત લથડતા જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેનું મોત નિપજ્યું હતું.

- Advertisement -

બનાવ અંગેની વિગત મુજબ, ઉત્તર પ્રદેશના બલીયા જિલ્લાના નવાદા ગામનો વતની અને હાલ મોટી ખાવડીમાં રહેતો શ્રીરામ શિવનારાયણ ગુપ્તા (ઉ.વ.42) નામનો યુવાન ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો તે દરમિયાન ગત તા. 20 ના રોજ સાંજના સમયે કંપનીની બસમાં બેસીને તેના ઘરે જતો હતો તે દરમિયાન રસ્તામાં તબિયત લથડતા સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું ફરજ પરના તબીબોએ મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. આ અંગે વિનોદકુમાર દ્વારા જાણ કરાતા હેકો એલ.જી. જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular