જયા-પાર્વતીના વ્રતો મુખ્યત્વે ગુજરાતમાં ઉજવવામાં આવે છે. આ જયા-પાર્વતીના વ્રતથી માતા પાર્વતીના અખંડ સૌભાગ્યવતીના આશિર્વાદ પ્રાપ્ત થાય છે. તેમજ કુમારીકાઓને મનવાંછિત વરની પ્રાપ્તિ થાય છે અષાઢ મહિનાના આ વ્રત પાંચ દિવસ મોળુ ખાઈને રહેવાના હોય છે. જેમાં છેલ્લાં દિવસે આખી રાતનું જાગરણ કરીને વ્રત પૂર્ણ કરવામાં આવે છે. કુમારીકાઓ અને બહેનોમાં આ વ્રતનો ખૂબ મહિમા છે. કુમારીકાઓ ખૂબ સાજશણગાર સજીને માતા પાર્વતીની પુજા પુરા ભાવ અને શ્રધ્ધાથી કરે છે તેમજ આવનારા ભવિષ્ય માટે પ્રાર્થના કરે છે.


