જામનગર શહેરમાં સાધના કોલોની આવાસમાં રહેતો યુવાન તેના મિત્ર સાથે શુક્રવારે જામનગર તાલુકાના બેડ ગામમાં આવેલી નદીમાં ન્હાવા ગયો હતો તે દરમિયાન ઉંડા પાણીમાં ગરક થઈ જતા ડુબી જવાથી મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં સાધના કોલોની વિસ્તારમાં રહેતા સુનિલ કિશનભાઈ આશિયાણી (ઉ.વ.33) નામનો મજૂરી કામ કરતો યુવાન શુક્રવારે તેના મિત્રો સાથે જામનગર તાલુકાના બેડ ગામમાં આવેલી નદીમાં ન્હાવા માટે ગયા હતાં અને ત્યાં ન્હાતા સમયે સુનિલ પાણીમાં ગરક થઈ જતાં ડૂબી ગયો હતો. આ અંગેની જાણ કરાતા જામનગર ફાયર વિભાગ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને નદીમાંથી સુનિલનો મૃતદેહ બહાર કાઢી પોલીસને સોંપી આપ્યો હતો. જેના આધારે હેકો સી.ડી.ગાંભવા તથા સ્ટાફે મૃતકના પિતા કિશનભાઈ આશિયાણીના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બેડની નદીમાં ન્હાવા પડેલા યુવાનનું ડૂબી જતાં મોત
જામનગરથી બેડ મિત્રો સાથે ન્હાવા માટે ગયા હતાં : ફાયર ટીમ દ્વારા મૃતદેહ બહાર કઢાયો : પોલીસ દ્વારા કાર્યવાહી