Friday, October 18, 2024
Homeરાજ્યજામનગરમારામારીના કેસમાં અઢી વર્ષથી નાસતો-ફરતો આરોપી ઝડપાયો

મારામારીના કેસમાં અઢી વર્ષથી નાસતો-ફરતો આરોપી ઝડપાયો

નાઘેડી ખાતેથી દબોચી લેતી જામનગર પેરોલ ફર્લો સ્કવોડ

- Advertisement -

જામનગર સીટી-એ ડિવિઝનમાં નોંધાયેલ મારામારીના કેસમાં છેલ્લા અઢી વર્ષથી નાસતા-ફરતા આરોપીને જામનગર પેરોલ ફર્લો સ્કવોડે નાઘેડી ખાતેથી ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગરના સીટી-એ ડિવિઝનમાં નોંધાયેલ મારામારીના કેસનો આરોપી કુલદીપસિંહ ઉર્ફે લાલો ઢિંગલી નટુભા પરમાર નામનો શખ્સ છેલ્લા અઢી વર્ષથી નાસતો-ફરતો હોય આ દરમિયાન હાલમાં નાઘેડી ગામના પાટીયાથી નાઘેડી ગામમાં જતાં જમણી સાઇડ આવેલ માતૃઆશિષ લખેલ મકાન પાસે હાજર હોવાની જામનગર પેરોલ ફર્લો સ્કવોડના ઘનશ્યામભાઇ દેલીવાડીયા, ગોવિંદભાઇ ચૌહાણ, સલીમભાઇ નોઇડા તથા કાસમભાઇ બલોચને મળેલ બાતમીના આધારે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સૂચના અને એલસીબીના પીઆઇ જે.વી. ચૌધરી તથા પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઇ એલ.જે. મિયાત્રા, એએસઆઈ ગોવિંદભાઈ ભરવાડ તથા હેકો લખધીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમ નોયડા, કાસમ બ્લોચ, ભરત ડાંગર, રણજીતસિંહ પરમાર તથા પો.કો. મહિપાલભાઇ સાદિયા, ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવ, હેકો અરવિંદગીરી ગોસાઈ, નિર્મળસિંહ જાડેજા, પો.કો. બળવંતસિંહ પરમાર સહિતના સ્ટાફ દ્વારા બાતમીવાળી જગ્યાએ તપાસ કરતાં કુલદીપસિંહ ઉર્ફે લાલો ઢિંગલી નટુભા પરમાર મળી આવતાં તેને ઝડપી લઇ જામનગર સીટી-એ પોલીસ ખાતે આગળની કાર્યવાહી માટે સોંપી આપ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular