Friday, October 18, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં વાહન અકસ્માતમાં બે યુવાનોના મોત

જામનગરમાં વાહન અકસ્માતમાં બે યુવાનોના મોત

- Advertisement -

જામનગર જિલ્લાના મેઘપર નજીકથી પૂરઝડપે બેફીકરાઇથી આવતી સ્કોર્પિયો કારના ચાલકે બાઈકને હડફેટે લેતા અકસ્માતમાં યુવાનનું ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું. જામનગરના ઢીચડા રોડ પરથી પસાર થતા બાઈકસવારે કાબુ ગુમાવતા સ્લીપ થવાથી ગંભીર ઈજા પહોંચતા યુવાનનું મોત નિપજ્યું હતું.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ, લાલપુર તાલુકાના ઝાખર ગામમાં રહેતાં જયેશભાઈ ઠાકરશીભાઈ બારાઇ નામનો યુવાન સોમવારે રાત્રીના સમયે જામનગર જિલ્લાના મેઘપર નજીકથી તેની જીજે-05-એકે-1519 નંબરની બાઈક પર પસાર થતો હતો તે દરમિયાન પૂરઝડપે બેફીકાઈથી આવતી જીજે-10-ટીએકસ-9277 નંબરની સ્કોર્પિયો કારના ચાલકે બાઈકસવારને ઠોકર મારી હડફેટે લેતા અકસ્માતમાં શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત જયેશભાઇનું ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા પીએસઆઈ વાય.બી. રાણા તથા સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકના ભાઈ મુકેશભાઈ બારાઇના નિવેદનના આધારે સ્કોર્પિયો ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો બનાવ, જામનગર શહેરના ગાંધીનગરમાં સાંઈબાબાના મંદિર પાસે રહેતા સંજયભાઈ પુનાભાઈ ડાંગર (ઉ.વ.45) નામના યુવાન સોમવારે સાંજના સમયે જીજે-10-સીબી-9374 નંબરના બાઈક પર ઢીચડા રોડ પર યાદવનગર પાસેથી પસાર થતો હતો તે દરમિયાન સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા બાઈક સ્લીપ થવાથી માથામાં ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના ભાઈ અશ્ર્વિન દ્વારા જાણ કરાતા પીએસઆઈ ડી.પી. ચુડાસમા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular