Saturday, July 27, 2024
Homeરાજ્યગુજરાતગુજરાતમાં ઔદ્યોગિક પ્રદૂષણ ઘટાડવા સૂચના

ગુજરાતમાં ઔદ્યોગિક પ્રદૂષણ ઘટાડવા સૂચના

- Advertisement -

પ્રદુષણ નિયંત્રણ અંગેની દેશની સૌથી મોટી સંખ્યા એનજીટી એ ગુજરાતના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને ખાલી જગ્યાઓ ભરવા માટે સૂચના આપી છે. રાજયના મુખ્ય સચિવ અનિલ મૂકિમને આ અંગે વ્યવસ્થિત જાણ કરવામાં આવી છે. આ સૂચનાઓ પછી મુખ્ય સચિવે કહ્યું છે કે, રાજયમાં પ્રદૂષણને નિયંત્રણમાં લેવા માટે ટૂંક સમયમાં એકશન પ્લાન બનાવવામાં આવશે.

- Advertisement -

ગુજરાત સહિત દેશના તમામ રાજયોની સરકારોને સૂચના આપવામાં આવી છે કે, 6 મહિનાની અંદર પ્રદૂષણ નિયંત્રણ માટેની તમામ જરૂરી વ્યવસ્થાઓ ગોઠવી લ્યો. સાધનોની જરૂર પડે તો વસાવી લ્યો અને લેબોરેટરીઓને અપડેટ કરવાની પણ સૂચના આપવામાં આવી છે. એનજીટી ના આદેશ પછી, ગુજરાતમાં આ માટેની દોડધામ શરૂ થવા પામી છે.

ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ઔદ્યોગિક વિસ્તારોમાં અવાર-નવાર પ્રદૂષણ સંબંધી દૂર્ઘટનાઓ સર્જાતી હોય છે. જેના સંદર્ભમાં એનજીટી દ્વારા આ સૂચનાઓ આપવામાં આવી છે અને એમ પણ કહેવામાં આવ્યું છે કે, રાજયના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં જે કોઇ જગ્યાઓ ખાલી હોય તે તાકિદે ભરવામાં આવે.

- Advertisement -

ગુજરાતના મુખ્ય સચિવે એમ જણાવ્યું છે કે, આ માટે સરકાર દ્વારા જરૂરી તૈયારીઓ કરી લેવામાં આવી છે અને આગામી દિવસોમાં કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સમક્ષ આ રિપોર્ટ દાખલ કરવામાં આવશે. રાજયના ઔદ્યોગિક પ્રદૂષણ મુદ્દે સરકાર સંવેદનશીલ છે. એમ અનિલ મૂકિમે જણાવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular