Saturday, January 17, 2026
Homeસમાચારરાષ્ટ્રીયગભરાશો નહીં, કોરોના હવે સામાન્ય વાયરલ બિમારી

ગભરાશો નહીં, કોરોના હવે સામાન્ય વાયરલ બિમારી

રસીકરણ પર ભારતના રાષ્ટ્રીય ટેકનીકલ સલાહકાર સમૂહ (એનટીએજીઆઈ)ના અધ્યક્ષ ડો. એન.કે.અરોરાએ જણાવ્યું હતું કે કોરોના હવે સામાન્ય ઈન્ફલુએંજા (સર્દી-ઉધરસ)નું રૂપ લઈ રહ્યો છે. દેશ એવી સ્થિતિએ પહોંચ્યો છે જયાં લોકો સામાન્ય દિનચર્યા ચાલુ રાખી શકે છે.

- Advertisement -

કેસ ઉપર-નીચે જઈ રહ્યા છે, આમ કેમ?: માર્ચ આસપાસ એક દિવસમાં લગભગ 1000 નવા કેસ બહાર આવતા હતા. જૂન-જુલાઈમાં તે 15 હજારથી 20 હજાર થઈ ગયા હતા. પછી છેલ્લા ત્રણ સપ્તાહથી કેસમાં કમી આવવા લાગી હતી. એ કહેવું સંભવ નથી કે આમ કેમ થઈ રહ્યું છે, પણ કેટલાક કારણ છે, જેનાથી કેસ વધે-ઘટે છે. પ્રથમ-લોકો યાત્રા કરે છે તો સંક્રમણ ઝડપથી ફેલાય છે, બીજું, ઓમીક્રોનના અને સબલાઈનેજ (પેટાવંશ) બહાર આવી રહ્યા છે.

તો શું કોરોના પહેલા જેવો નહીં રહે?: વર્તમાન કોરોના વેરીએન્ટ કે ઓમીક્રોન ઓછો ગંભીર રહ્યો છે. માત્ર એવા લોકોમાં તે ગંભીર રહ્યો છે જેમને અગાઉથી જ અનેક બીમારીઓ છે, જેમકે હૃદયરોગ, કીડનીની બીમારી વગેરે. મુખ્યત્વે કોરોનાથી ગંભીર બીમારી નથી થઈ રહી પરંતુ આપણે સાવધાન રહેવું પડશે. ભારતમાં અનેક નવા કોવિડ રસી પર કામ થઈ રહ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular