Thursday, January 15, 2026
Homeરાજ્યજામનગરદારૂ પીવાથી થયેલી બિમારીથી કંટાળી યુવાનની આત્મહત્યા

દારૂ પીવાથી થયેલી બિમારીથી કંટાળી યુવાનની આત્મહત્યા

જામજોધપુર તાલુકાના વનાણા ગામમાં રહેતો અને મજૂરીકામ કરતા યુવાને દારૂ પીવાની ટેવના કારણે થયેલી બિમારીથી કંટાળીને ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો.

- Advertisement -

આ અંગે જામજોધપુર તાલુકાના વનાણા ગામમાં રહેતો અને મજૂરીકામ કરતો મહેશભાઇ ઉર્ફે ગોબરો કારૂભાઇ ચનુરા (ઉ.વ.40) નામના યુવાનને દારૂ પીવાની કુટેવ હોવાથી લીવરની બિમારી થઇ હતી. આ બિમારીથી કંટાળીને ગત્ તા. 11ના રોજ સાંજના સમયે તેના ઘરે દોરી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ અંગે દિનેશભાઇ દ્વારા જાણ કરાતા હે.કો. બી. પી. જાડેજા તથા સ્ટાફએ સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આત્મહત્યાના કારણ જાણવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular