Tuesday, September 17, 2024
Homeઆંતરરાષ્ટ્રીયસોમાલિયા નજીક 15 ભારતીયો સહિતનું જહાજ હાઇજેક

સોમાલિયા નજીક 15 ભારતીયો સહિતનું જહાજ હાઇજેક

નેવીએ INS ચેન્નાઈ યુધ્ધ જહાજ રવાના કર્યું: ભારતીયો સુરક્ષિત હોવાનો દાવો : સોમાલિયન ચાંચિયાઓનું કારસ્તાન

- Advertisement -

સોમાલિયાના સમુદ્ર કિનારે એક એમવી લીલા નોરફોક જહાજને હાઇજેક કરી લેવાયાના અહેવાલ મળી રહ્યા છે. આ જહાજ ગઈકાલે હાઈજેક થયું હતું. ભારતીય સૈન્ય આ મામલે સક્રિય થઇ ગઈ છે. અપહરણ કરાયેલા આ જહાજ પર લાઈબેરિયાનું ધ્વજ હતું. માહિતી અનુસાર આ જહાજના ચાલકદળમાં 15 ભારતીય સભ્યો પણ સામેલ છે. ભારતીય નેવીના વિમાન આ જહાજ પર નજર રાખી રહ્યા છે અને ચાલક દળની સાથે કમ્યુનિકેટ કરી રહ્યા છે. આ ઘટના બાદથી ભારતીય નેવીનું યુદ્ધજહાજ આઈએનએસ ચેન્નઇ પણ સ્થિતિનો સામનો કરવા જહાજ તરફ આગળ વધી રહ્યું છે. સોમાલિયા નજીક કોઈ જહાજના હાઈજેકની આ પ્રથમ ઘટના નથી. તાજેતરમાં જ સોમાલિયામાં સમુદ્રી ચાંચિયાઓએ અરબ સાગરમાં માલ્ટાના જહાજ એમવી રૂએનને હાઈજેક કરી લીધું હતું. આ ઘટનાની માહિતી મળતાં જ ભારતીય નેવી તરત જ એક્ટિવ થઇ હતી. ઉતાવળે નેવી તરફથી એક યુદ્ધ જહાજ અને સમુદ્રી પેટ્રોલિંગ વિમાન અરબ સાગર રવાના કરાયું હતું જેના બાદ ભારતીય નેવીએ આ જહાજને રેસ્ક્યૂ કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular