Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરજામનગર-અમદાવાદ ‘વંદે ભારત’ એક્સપ્રેસ ટ્રેન લંબાવાઇ

જામનગર-અમદાવાદ ‘વંદે ભારત’ એક્સપ્રેસ ટ્રેન લંબાવાઇ

સુરતમાં ઉધના સુધી જશે ટ્રેન

- Advertisement -

જામનગરથી અમદાવાદ વચ્ચે દોડતી વંદે ભારત એકસપ્રેસ ટ્રેનને સુરતના ઉધના સુધી લંબાવવાનો રેલવે દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. જેને પરિણામે સુરત જતા મુસાફરોને ફાયદો થશે.

- Advertisement -

24 સપ્ટેમ્બરના રોજ જામનગરથી અમદાવાદ (22925/26) વચ્ચે વંદે ભારત ટ્રેન શરૂ કરાઈ હતી. જોકે હવે એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. જામનગર-અમદાવાદ વચ્ચે દોડતી ટ્રેનનો રૂટ સુરતના ઉધના સુધી લંબાવાયો છે. તેથી હવે જામનગરથી સુરત જતા મુસાફરો માટે સુવિધાજનક સાબિત થશે.

જામનગર-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ બંને દિશામાં સાબરમતી, સાણંદ, વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર અને રાજકોટ સ્ટેશનો પર સ્ટોપેજ છે. આ ટ્રેનમાં અઈ ચેર કાર અને એક્ઝિક્યુટિવ ચેર કાર કોચ છે. ત્યારે હવે આ ટ્રેનને વધુ એક સ્ટોપેજ અપાયું છે. એટલે કે હવે આ વંદે ભારત ટ્રેન જામનગરથી સુરતના ઉધના સુધી દોડશે. આ નિર્ણયથી જામનગર અને સુરતવાસીઓની સુવિધામાં વધારો થયો છે.

- Advertisement -

જામનગરની આ ટ્રેન સવારે 5-45 કલાકે ઉપડી બપોરે 1-10 વાગ્યે ઉધના પહોંચશે. તેમજ બપોરે 3-1પ વાગ્યે ઉધનાથી ઉપડી રાત્રે 10-35 વાગ્યે જામનગર પહોંચશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular