Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરVideo : નિવૃત્ત કર્મચારીઓ દ્વારા પેન્શન સહિતના મુદ્દે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

Video : નિવૃત્ત કર્મચારીઓ દ્વારા પેન્શન સહિતના મુદ્દે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

- Advertisement -

જામનગર શહેરમાં પીજીવીસીએલ તથા એસટીના નિવૃત્ત કર્મચારીઓ દ્વારા ઈપીએફ પેન્શન યોજના સંદર્ભે રેલી યોજી કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

- Advertisement -

છેલ્લાં સાત વર્ષોથી દેશના 75 લાખ વૃદ્ધ ઈપીએસ 95 પેન્શનર્સને પ્રતિમાસ માત્ર સરેરાશ રૂા.1171 નું પેન્શન મળે છે. જેને કારણે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ અંગે અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઇ ઉકેલ આવતો નથી. જેને લઇ પીજીવીસીએલ તથા એસટીના નિવૃત્ત કર્મચારીઓ જામનગર જિલ્લા કલેકટર કચેરી એ પહોંચ્યા હતાં અને પેન્શન વધારવાની માંગણીને લઇ આવેદનપત્ર પાઠવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular