Friday, January 16, 2026
Homeરાજ્યગોવાણામાં બેશુધ્ધ થઈ જતાં યુવાનનું મોત

ગોવાણામાં બેશુધ્ધ થઈ જતાં યુવાનનું મોત

લાલપુર તાલુકાના ગોવાણા ગામના સીમ વિસ્તારમાં રહેતાં અને ખેતી કરતાં ગોગનભાઈ દેવરખીભાઈ ભારવડિયા (ઉ.વ.39) નામના યુવાન શુક્રવારે સવારના સમયે તેના ખેતરમાં મોટર ચાલુ કરી વાલ્વ બંધ કરવા દોડીને જતા હતાં ત્યારે ખેતરમાં પડી જતાં બેશુધ્ધ થઈ જવાથી સારવાર માટે લાલપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેમનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે ખીમાભાઈ દ્વારા જાણ કરાતા હેકો એસ.કે. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular