
18 મી ફેબ્રુઆરીએ નગરપાલિકાની મત ગણતરી થનાર છે. જામનગરની ધ્રોલ, કાલાવડ અને જામજોધપુરની નગરપાલિકામા સતાનો તાજ કોને મળશે તેનો થશે ફેસલો. ધ્રોલ નગરપાલિકાના 6 વોર્ડની 24 બેઠકો, કાલાવડ નગરપાલિકાના 7 વોર્ડ 27 બેઠકો અને જામજોધપુર નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠકોની મતગણતરી થશે. તમામ નગરપાલિકામાં 4 ટેબલમાં વોર્ડ મુજબ રાઉન્ડમાં ગણતરી થશે. જામનગર તાલુકા પંચાયતની જામવંથલી બેઠકની પેટાચૂંટણીની ગણતરી 2 ટેબલમાં થશે.
જામજોધપુર નગરપાલિકામાં 58. 12 ટકા
કાલાવડના નગરપાલિકામાં 63.16 ટકા
અને ધ્રોલ નગરપાલિકામાં 68.05 ટકા મતદાન થયું છે.