Saturday, July 27, 2024
Homeહેલ્થ એન્ડ વેલનેસશરીરમાં વિટામીન્સ કેટલા જરૂરી ?? જો સાચી માત્રામાં વિટામીન ન મળે તો...

શરીરમાં વિટામીન્સ કેટલા જરૂરી ?? જો સાચી માત્રામાં વિટામીન ન મળે તો શું થઈ શકે ??

- Advertisement -

જો શરીરને સાચી માત્રામાં વિટામિન્સ ન મળે તો શું થાય ?શરીરમાં વિટામિન્ટસની અછતથી કઇ તકલીફ થઈ શકે તેના માટે એકસપર્ટનું શું કહેવાનું છે ? તે જાણીએ. વિટામીન શરીરનો રોગપ્રતિકારક શકિત વધારે છે. કુલ 13 પ્રકારના વિટામિન હોય છે. વિટામિન એ, બીવન, બીટુ, બીથ્રી, બીફાઈવ, બીસીકસ, બીસેવન, બીનાઇન, બીટવેલ, સી, ડી, ઈ, કે અલગ અલગ વિટામિનનું અલગ અલગ કામ શરીરમાં હોય છે.

- Advertisement -

તો કયાં વિટામિન કઇ માત્રામાં લેવા તે જાણીએ દિલ્હીથી ડો. રાજીવ ગુપ્તા પાસેથી ડોકટરનું કહેવાનું છે વિટામિનની કમીથી રોગો થાય છે. જ્યારે તેની વધુ માત્રામાં પણ બીમારી પેદા કરે છે. શરીરમાં વિટામિન્સનું કામ એનર્જી ઉત્પન્ન કરવાનું છે. જ્યારે વિટામિનની કમીથી ઘણી બીમારીઓ થઈ શકે છે. જેમ કે વિટામિન એ ની કમીથી આંખોની બીમારી ‘નાઈટ બ્લાઈંડનેશ’, બી ની કમીથી ‘બેરીબેરી’ હાર્ટની બીમારી, સીની કમીથી પેઢામાંથી લોહી નિકળે છે, ‘ડી’ની કમીથી હાડકાને લગતી બીમારી થઈ શકે છે, ‘કે’ની કમીથી લોહીની બીમારી થઈ શકે છે. વિટામિન્સના અતિરેકથી પણ બીમારીઓ વધે છે. જેથી નેચરલ સ્ત્રોતમાં વિટામિન લેવા જોઇએ. વધારાની ટેબલેટ લઇને વિટામિન શરીરમાં વધારવું ન જોઇએ. આ બધા વિટામિન્સ મેળવવા ગાજર, પપૈયું, શકકરીયા, પાલક, સોયાબેન, ફળો અને લીલા શાકભાજી લેવા જોઇએ. ડેરી પ્રોડટકસ લેવા આમ તમારા રોજીંદા આહારમાં યોગ્ય માત્રામાં વિટામિન્સ લેવા જોઇએ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular