Tuesday, September 17, 2024
Homeરાજ્યજામનગરનવાગામમાં આદિવાસી પ્રૌઢાનું તાવની બીમારીથી મોત

નવાગામમાં આદિવાસી પ્રૌઢાનું તાવની બીમારીથી મોત

ખેતમજૂર પ્રૌઢાને દસ દિવસથી તાવ આવતો હતો : તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાતા મૃત્યુ : પોલીસ દ્વારા કાર્યવાહી

- Advertisement -

કાલાવડ તાલુકાના નવાગામમાં રહેતાં પ્રૌઢાને છેલ્લાં 10 દિવસથી તાવ આવતો હતો અને તાવની સારવાર દરમિયાન તબિયત લથડતા કાલાવડની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ, કાલાવડ તાલુકાના નવાગામના સીમ વિસ્તારમાં આવેલી હરસુખભાઈ અકબરીના ખેતરમાં મજૂરી કામ કરતાં બદલીબેન સેતનભાઈ ડામોર (ઉ.વ.55) નામના પ્રૌઢાને છેલ્લા 10-12 દિવસથી તાવ આવતો હતો અને આ તાવની સારવાર ચાલુ હતી તે દરમિયાન સોમવારે સારના સમયે પ્રૌઢાની તબિયત લથડતા કાલાવડની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેનું સારવાર કારગત નિવડે તે પહેલાં મોત નિપજ્યું હતું. આ અંગેની મૃતકના પતિ સેતનભાઈ દ્વારા જાણ કરાતા હેકો પી.કે. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular