Saturday, January 10, 2026
Homeરાજ્યજામનગરજામનગરના લાખોટા તળાવમાંથી યુવાનનો મૃતદેહ સાંપડયો

જામનગરના લાખોટા તળાવમાંથી યુવાનનો મૃતદેહ સાંપડયો

પાછલાં તળાવમાંથી ફાયરટીમે લાશ બહાર કાઢી: પોલીસ દ્વારા કાર્યવાહી

જામનગર શહેરના દિગ્જામ સર્કલ પાસેના હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતાં યુવાનો જામનગરના લાખોટા તળાવમાંથી મૃતદેહ સાંપડતા પોલીસે આગળની કાર્યવાહી હાથધરી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરના દિગ્જામ ર્સકલ પાસે આવેલા હનુમાન ટેકરી વિસ્તારમાં ભાડાંના મકાનમાં રહેતાં અને મુળ કલ્યાણપુર તાલુકાના ભાડથર ગામના વત્ની હસમુખભાઇ લખુભાઇ ચાવડા (ઉ.વ.28) નામના યુવાનનો મૃતદેહ શહેરના મિગકોલોની પાસેના તળાવમાંથી મળી આવતાં ફાયર વિભાગે સ્થળ પર પહોંચી મૃતદેહને બહાર કાઢી પોલીસને સોંપી આપ્યો હતોે. જેના આધારે પીએસઆઇ વી.કે.રાતિયા તથા સ્ટાફે મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular