Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરVideo : જલાની જારમાં ઈશ્વર વિવાહ યોજાયા

Video : જલાની જારમાં ઈશ્વર વિવાહ યોજાયા

જામનગર શહેરમાં નવરાત્રિની ભકિતભાવપૂર્વક ઉજવણી થઈ રહી છે. નવરાત્રિ અંતિમ પડાવ તરફ જઈ રહી છે. ત્યારે ગઈકાલે સાતમા નોરતે જામનગર શહેરની પ્રાચિન જલાની જારની ગરબીમાં ઈશ્વર વિવાહ યોજાયા હતાં. જેમાં આ વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉમટયા હતાં અને આ ઈશ્વર વિવાહ નિહાળ્યા હતાં.

- Advertisement -

જામનગર શહેરની પ્રાચિન જલાની જારની ગરબીને આજ સુધી આધુનિકતાનો સ્પર્શ થયો નથી. લાઉડસ્પિકર, સંગીતના વાંજિત્રો વિના માત્ર નોબતના તાલે પૂરૂષો દ્વારા રમાતી આ ગરબીમાં પરંપરાગત લાલ-પીળા-કેસરી અબોટીયા પહેરી માતાજીના ગરબા રજૂ કરવામાં આવે છે. આ ગરબીમાં ઈશ્વર વિવાહ શરૂ થાય એટલે એક પણ ક્ષણના વિરામ વગર 3:30 કલાકે સુધી સતત ગાવામાં અને રમવામાં આવે છે. 337 વર્ષ જૂની આ ગરબીમાં આજ સુધી પૂરાણી પરંપરા જાળવી રાખવામાં આવી છે. ગઈકાલે સાતમા નોરતે રાત્રે 12:30 વાગ્યે આદ્ય કવિ દેવીદાસ રચિત ઈશ્વર વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પુરૂષોએ ઈશ્વર વિવાહ ગાયને સાતમા નોરતાની ઉજવણી કરી હતી. આ તકે ધારાસભ્ય આર.સી.ફળદુ, શહેર ભાજપા પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન મનિષભાઈ કટારિયા, કોર્પોરેટર નિલેશભાઈ કગથરા, પૂર્વ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન આકાશભાઈ બારડ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular