Sunday, September 8, 2024
Homeરાજ્યપાતામેઘપરમાં ખેતીકામ કરતાં સમયે હૃદયરોગના હુમલાથી પ્રૌઢનું મોત

પાતામેઘપરમાં ખેતીકામ કરતાં સમયે હૃદયરોગના હુમલાથી પ્રૌઢનું મોત

શુક્રવારે સવારે ખેતી કામ સમયે છાતીમાં દુ:ખાવો: બેશુદ્ધ થઈ જતાં રાજકોટની હોસ્પિટલની સારવાર કારગત ન નિવડી

- Advertisement -

કાલાવડ તાલુકાના પાતામેઘપર ગામમાં રહેતાં ખેડૂત પ્રૌઢ તેના ખેતરે ખેતી કામ કરતા હતાં ત્યારે હૃદયરોગનો હુમલો આવતા રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, કાલાવડ તાલુકાના પાતામેઘપર ગામમાં રહેતાં અને ખેતી કરતા તુલસીભાઈ મીઠાભાઇ ઠેસીયા (ઉ.વ.58) નામના પ્રૌઢ શુક્રવારે સવારના સમયે તેના ખેતરમાં ખેતીકામ કરતા હતાં ત્યારે અચાનક હૃદયરોગનો હુમલો આવતા બેશુદ્ધ થઈ જતાં સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં ફરજ પરના તબીબોએ પ્રૌઢનું મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના ભાઈ ધર્મેન્દ્ર દ્વારા જાણ કરાતા હેકો જી.આઈ.જેઠવા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular