Saturday, February 15, 2025
Homeરાજ્યજામનગરખંભાળિયા નજીક અકસ્માતમાં જીઆરડીના પીએસઆઇને ઇજા

ખંભાળિયા નજીક અકસ્માતમાં જીઆરડીના પીએસઆઇને ઇજા

સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

- Advertisement -

ખંભાળિયા નજીક એસ.ટી. બસ અને પીએસઆઇના વાહન વચ્ચે અકસ્માત સર્જાતા જીઆરડીના પીએસઆઇનું માથાના ભાગે ગંભીર ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

- Advertisement -

બનાવની વિગત મુજબ જીઆરડીના પીએસઆઇ તરીકે ફરજ બજાવતાં જશ્મીનભાઇ ઝિંઝુવાડીયા પ્રાઇવેટ વાહન મારફતે ખંભાળિયા નજીકથી પસાર થઇ રહ્યા હોય, આ દરમિયાન એસ.ટી. બસ સાથે અકસ્માત સર્જાતા પીએસઆઇ જશ્મીન ઝિંઝુવાડીયાને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. તેમને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી સીટી સ્કેન સહિતની સારવાર હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular