Saturday, December 27, 2025
Homeરાજ્યખંભાળિયા-કલ્યાણપુરમાં ગેરકાયદેસર વીજ લાઈના વિરોધમાં ખેડૂતોનું આંદોલન

ખંભાળિયા-કલ્યાણપુરમાં ગેરકાયદેસર વીજ લાઈના વિરોધમાં ખેડૂતોનું આંદોલન

ખંભાળિયા તાલુકાના ભટગામથી કલ્યાણપુર તાલુકાના ખાખરડા ગામ સુધીના આશરે 40 કિલોમીટરના વિસ્તારમાં ખાનગી કંપની દ્વારા 220 કે.વી.ની હાઈટેન્શન વિજ લાઈનનું કામ ચાલી રહ્યું છે. આ કામ ગેરકાયદેસર રીતે અને નીતિ-નિયમોનો ઉલાળીયો કરીને થઈ રહ્યું હોવાનો આક્ષેપ સ્થાનિક ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો છે.

- Advertisement -

આટલું જ નહીં, કોન્ટ્રાક્ટરો દ્વારા ખેડૂતોની જમીનમાં ગેરકાયદેસર રીતે વીજપોલ ઊભા કરી તેમાં વિજ વાયર ખેંચવાનું કામ થતું હોવાનું જણાવી સ્થાનિક ખેડૂતો દ્વારા છેલ્લા એકાદ સપ્તાહથી ઉપવાસ આંદોલન કરવામાં આવી રહ્યું છે. આ વચ્ચે તંત્રની આંખ ઉઘાડવા તથા સદબુદ્ધિ માટે હવનનો પ્રતિકાત્મક કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. આ વચ્ચે એક વયોવૃદ્ધ ખેડૂતની તબિયત લથડતાં 108 મારફતે તેમની સારવાર કરવામાં આવી હતી.

ખેડૂતો દ્વારા હાથ ધરવામાં આવેલા આ ઉપવાસ આંદોલનને જિલ્લા કિસાન કોંગ્રેસ દ્વારા ટેકો સાંપડ્યો છે. અગાઉ જિલ્લા કિસાન કોંગ્રેસ દ્વારા વારંવાર સત્તાવાળાઓને આ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેનાર હોવાનું વધુમાં જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular