Monday, December 8, 2025
Homeસમાચારરાષ્ટ્રીયસૈન્ય અભ્યાસ દરમિયાન ત્રણ મિસાઇલો મીસફાયર

સૈન્ય અભ્યાસ દરમિયાન ત્રણ મિસાઇલો મીસફાયર

ઘટનામાં કોઈ જાનહાનિ થયાના અહેવાલ મળ્યા નથી

રાજસ્થાનના જેસલમેરમાં સૈન્યના પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં મિસાઈલ મિસફાયર થયાનો મામલો સામે આવ્યો છે. માહિતી અનુસાર શુક્રવારે સૈન્ય અભ્યાસ દરમિયાન ત્રણ મિસાઈલો મિસફાયર થઈ હતી. જોકે આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિના નુકસાનના અહેવાલ મળ્યા નથી.

- Advertisement -

મિસફાયર થયેલી મિસાઈલોમાંથી બેનો કાટમાળ મળી આવ્યો છે પણ એક મિસાઈલ હજુ ગુમ છે. ડિફેન્સ પ્રવક્તા અમિતાભ શર્માએ આ ઘટનાની પુષ્ટી કરી હતી. તેમણે કહ્યું કે પીએફએફઆરમાં વાર્ષિક ફીલ્ડ ફાયરિંગ કરતા એક યૂનિટ દ્વારા મિસાઈલ મિસફાયર થવાની માહિતી મળી હતી. જોકે મિસાઈલ આકાશમાં જ સુરક્ષિત રીતે નષ્ટ થઈ ગઈ અને કાટમાળ આજુબાજુના ખેતરોમાં પડ્યો. આ ઘટનામાં કોઈપણ જવાન અને સંપત્તિને નુકસાન થયું નથી. આ મામલે તપાસ પણ હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular