Thursday, March 28, 2024
HomeબિઝનેસGST ઓડિટ બાબતે CBIC દ્વારા ટવીટ્ર પર ખુલાસો

GST ઓડિટ બાબતે CBIC દ્વારા ટવીટ્ર પર ખુલાસો

- Advertisement -

જી.એસ.ટી. કાયદા હેઠળ નિયત ટર્નઓવર કરતાં વધુ ટર્નઓવર થતું હોય તેવા કરદાતાઓને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અથવા કોસ્ટ એકાઉન્ટન્ટ પાસે ઓડિટ કરાવવું જરૂરી હતું. આ નિયમમાં મહત્વનો ફેરફાર બજેટ 2021 દ્વારા કરવામાં આવ્યો છે. જી.એસ.ટી. ઓડિટને લગતી કલમ 35(5) તથા 44 માં આ ઓડિટની જોગવાઈ દૂર કરી નાંખવામાં આવી છે. આ ઓડિટ PAN પ્રમાણે કુલ ટર્નઓવર ઉપર કરવાનું થતું હતું. આ કારણે પણ કોઈ એક રાજ્યમાં ખૂબ નાનું ટર્નઓવર હોવા છતાં અન્ય રાજ્યોનું ટર્નઓવર નિયત મર્યાદાથી વધુ થતું હોય, કરદાતા ઉપર ઓડિટનું ભારણ નાહક વધતું હતું. હવે આ ઓડિટની જવાબદારી દૂર થતાં કરદાતાઓના ‘કંપલાયન્સ’ની જવાબદારીમાં ઘટાડો થશે.
ઓડિટની જવાબદારી દૂર થતાં કરદાતાઓમાં રાહતની લાગણી પ્રસરી ગઈ છે. નાણાકીય વર્ષ 2019-20 માટેના ઓડિટને પણ કરવવાની જરૂર નહીં પડે તેવું અમુક કરદાતાઓ માની રહ્યા હતા. આ અંગે સ્પષ્ટતા કરતાં CBIC એ પોતાના ઓફિશિયલ twitter હેન્ડલ ઉપર જણાવ્યુ છે કે ઓડિટ દૂર કરવા અંગેનો સુધારો ભવિષ્યની તારીખથી ‘નોટિફાય’ કરવામાં આવશે. આ સુધારો નાણાકીય વર્ષ 2019-20 ને લાગુ પડે નહીં. CBIC દ્વારા આ ખુલાસો કરતાં એ બાબત સ્પષ્ટ થઈ ગઈ છે કે નાણાકીય વર્ષ 2019-20 માં 5 કરોડ થી વધુ ટર્નઓવર ધરાવતા કરદાતાઓએ જી.એસ.ટી. ઓડિટ કરાવવું ફરજિયાત છે. આ ઓડિટ કરવવાની મુદત 28 ફેબ્રુઆરી સુધી છે. (ભવ્ય પોપટ, એડિટર ટેકસ ટૂડે)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular