Saturday, April 20, 2024
Homeરાષ્ટ્રીયસરહદ ઉલ્લંઘન વિશે વિવાદી નિવેદન !

સરહદ ઉલ્લંઘન વિશે વિવાદી નિવેદન !

- Advertisement -

કેન્દ્રીય પરિવહન રાજ્ય મંત્રી અને ભૂતપૂર્વ સૈન્ય વડા વી.કે.સિંઘના નિવેદનના કારણે ચીનને ભારતને નિશાન બનાવવાની તક મળી છે. જનરલ વી.કે.સિંહે રવિવારે કહ્યું હતું કે, ભારતે ચીન કરતા ઘણી વાર એલએસીનું ઉલ્લંઘન કર્યું છે. ચીને વી.કે.સિંઘનું નિવેદન લીધું હતું અને કહ્યું હતું કે ભારતે અજાણતા તેની ભૂલ સ્વીકારી છે કે તે સતત એલએસીનું ઉલ્લંઘન કરે છે.

- Advertisement -

સોમવારે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને જનરલ વી.કે.સિંઘના નિવેદન પર પ્રતિક્રિયા આપતા નિયમિત પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, આ ભારત તરફથી અજાણતાં સમજાયેલી ભૂલ છે. ભારત લાંબા સમયથી સરહદનું ઉલ્લંઘન કરી રહ્યું છે અને તે ચીની સરહદમાં અતિક્રમણ જેવું છે. આ સતત તણાવની સ્થિતિનું નિર્માણ કરે છે. ભારત-ચીન સરહદ પર વિખવાદનું આ મૂળ કારણ છે. હું ભારતને સરહદ કરારનું પાલન કરવા વિનંતી કરીશ જેથી સરહદ પર શાંતિ અને સ્થિરતા રહે.

જનરલ વી.કે.સિંઘની આ ટિપ્પણી ભારતની સત્તાવાર લાઇનથી સાવ જુદી છે. ગયા વર્ષે જૂનમાં, લદ્દાખની ગલવાન ખીણમાં ચીનના સૈનિકો સાથેની હિંસક અથડામણમાં ભારતના 20 સૈનિકો શહીદ થયા હતા. ચીનના સૈનિકો માર્યા ગયાની પણ વાત કરવામાં આવી હતી, પરંતુ હજી સુધી તેની સંખ્યા જાણી શકાઈ નથી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે ઘણી વખત સ્પષ્ટ કહ્યું છે કે ભારતે ક્યારેય એલએસીનું ઉલ્લંઘન કર્યું નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular