Wednesday, July 3, 2024
Homeરાજ્યજામનગરજામનગરની જી. જી. હોસ્પિટલમાં કોલેરાગ્રસ્ત બાળકનું મૃત્યુ - VIDEO

જામનગરની જી. જી. હોસ્પિટલમાં કોલેરાગ્રસ્ત બાળકનું મૃત્યુ – VIDEO

હજુ બે કેસ યથાવત અને 3 સસ્પેકટેડ કેસો સારવાર હેઠળ

- Advertisement -

કોલેરાએ આંતરડાનો તીવ્ર ચેપ છે. જે દુષિત ખોરાક અને પાણી દ્વારા ફેલાય છે. જેના પીરણામે વ્યક્તિને ઝાડા, ઉલ્ટી થાય છે અને શરીરમાં પ્રવાહી ઘટી જાય છે. વર્ષાઋતુની આ સીઝનમાં પાણીથી વકરતા રોગચાળાના વધુ કેસો જોવા મળે છે. ત્યારે જામનગરની જી. જી. હોસ્પિટલમાં એક કોલેરાગ્રસ્ત બાળકનું મૃત્યુ થયું છે. જ્યારે બે ક્ધફર્મ અને ત્રણ સસ્પેકટ કેસો સારવાર હેઠળ છે.

- Advertisement -

સૌરાષ્ટ્રમાં કોલેરાનો રોગચાળો વકરતો જાય છે ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટાનો બાળ દર્દી કોલેરાગ્રસ્ત બનતા જામનગરની જી. જી. હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. ઉપલેટના તરાવીયા ગામના રહેવાસીનો બાળક ઈશ્ર્વર આલમ જેની ઉમર છ વર્ષની હતી. જેને કોલેરાની સાથે શરીરમાં માલપુટ્રીશયન, એનીમીયા અને સીકલ સેલ ડીસીઝથી પીડિત આ બાળકની હાલત ગંભીર હતી. જેને વેન્ટીલેટર સહિતની સઘન સારવાર આપવા છતા પણ કોલેરાના કારણે મલ્ટી ઓર્ગન ફેઈલ થતા આ બાળકનું મૃત્યુ થયું હતું.

- Advertisement -

આ ઉપરાંત હાલ જી. જી. હોસ્પિટલમાં કોલેરાના 2 કન્ફર્મ કેસ અને 3 સસ્પેકટ કેસ સારવાર હેઠળ છે તેમજ એસો. પ્રોફેસર પીડિયાટ્રીક વિભાગના ડો. મૌલિક શાહ જણાવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular