Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરકલેકટરના જાહેરનામાનો ભંગ કરનાર ગેસ્ટ હાઉસ સંચાલક વિરૂધ્ધ કાર્યવાહી

કલેકટરના જાહેરનામાનો ભંગ કરનાર ગેસ્ટ હાઉસ સંચાલક વિરૂધ્ધ કાર્યવાહી

પથિક સોફટવેરમાં એન્ટ્રી કરવા અંગેના કલેકટરના જાહેરનામાનો ભંગ કરનાર દ્વારકાધીશ ગેસ્ટ હાઉસના સંચાલક વિરુધ્ધ જામનગર એસઓજી દ્વારા ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર એસઓજીના વિરેન્દ્રસિંહ જાડેજા, બલભદ્રસિંહ જાડેજા, તોસિફભાઈ તાયાણી દ્વારા જામનગરના કે.વી. રોડ સિધ્ધનાથ કોમ્પલેક્ષ પાસે આવેલ શ્રી દ્વારકાધીશ ગેસ્ટહાઉસમાં તપાસ કરતા આ ગેસ્ટ હાઉસના સંચાલક જીનેન ભગવાનજી શાહ દ્વારા બેદરકારી દાખવી પથિક સોફટવેરમાં પોતાના ગેસ્ટ હાઉસમાં આવતા પ્રવાસીઓની એન્ટ્રી ન કરી કલેકટર અને જિલ્લા મેજીસ્ટે્રટના પથિક સોફટવેરમાં એન્ટ્રી કરવાના જાહેરનામાનો ભંગ કર્યો હોય. સિટી બી ડીવીઝનમાં શ્રી દ્વારકાધીશ ગેસ્ટ હાઉસના સંચાલક જીનેન ભગવાનજીભાઇ શાહ વિરૂધ્ધ ગુનો દાખલ કરાવ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular