જામનગરમાં રોટરી કલબ ઓફ જામનગર અનુદાનિત આસ્થા ડે કેર સેન્ટરના મનો દિવ્યાંગ બાળકોઅ ને અંધજન તાલીમ કેનદ્રના દિવ્યાંગ બાળકો તેમજ સમગ્ર જામનગરના તમામ દિવ્યાંગ બાળકો લાભાર્થે આસ્થા દિવ્યાંગ રાસોત્સવ 2023 નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દિવ્યાંગ બાળકોએ ગરબાના તાલે તાલ મેળવીને નવરાત્રિ પર્વની ઉજવણી કરી હતી અને આ તકે રોટરી કલબ ઓફ જામનગર અને અંધજન તાલીમ કેન્દ્રના પદાધિકારીઓ તેમજ બાળકોએ સાથે મળીને માતાજીની આરતી કરી હતી.