ખંભાળિયા તાલુકાના નાના આસોટા ગામે રહેતા દેવીદાસ જાનકીદાસ રામાવત નામના 40 વર્ષીય યુવાનના રહેણાંક મકાનમાં ગત તારીખ 30મીના રોજ તસ્કરોએ ખાતર પાડી, તેમના રહેણાંક મકાનના દરવાજાનું લોક તોડી અને ઘરમાં પ્રવેશ કર્યો હતો. આ મકાનની અંદર રહેલા લાકડાના કબાટમાં રાખવામાં આવેલા રૂપિયા એક લાખ રોકડા તથા રૂપિયા 48 હજારની કિંમતનો પોણા બે તોલાના સોનાનો ચેન મળી કુલ રૂપિયા એક લાખ અડતાલીસ હજારનો મુદ્દામાલ ચોરી કરીને લઇ ગયા હોવાનું ખુલવા પામ્યું છે.
આ બનાવ અંગે ખંભાળિયા પોલીસે ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઇ. એમ.જે. સાગઠીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.
ખંભાળિયાના નાના આસોટા ગામે ઘરફોડ ચોરી
રૂપિયા દોઢ લાખનો મુદ્દામાલ ઉસેડી જતા તસ્કરા


