Sunday, September 8, 2024
Homeરાજ્યજામનગરસગર્ભાં માતા માટે દેવદૂત બની 108 એમ્બ્યુલન્સ

સગર્ભાં માતા માટે દેવદૂત બની 108 એમ્બ્યુલન્સ

- Advertisement -

જામનગર શહેરમાં ખોડિયાર કોલોની વિસ્તારમાં રાત્રીના સમયે વંદનાબેન શિવદાનભાઇ બારોટ નામની સગર્ભાંને પ્રસૃતિની પીડા ઉપડતાં તેમના પરિવારજનોએ 108 એમ્બ્યુલન્સનો સંપર્ક કર્યો હતો. જેથી સમર્પણ ચોકડી લોકેશન 108ની એમ્બ્યુલન્સ તાત્કાલિક દર્દી સુધી પહોંચી હતી. જ્યાં દર્દીની ગંભીર પરિસ્થિતિ જણાતાં પ્રસૃતાને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ લઇ તપાસ કરતાં એમ્બ્યુલન્સમાં પ્રસૃતિ કરાવી પડે તેમ હોય ત્યાં માતાએ બે જુડવા બાળકોને જન્મ આપ્યો હતો. બાળકોના જન્મ વખતે ગળામાં નાળ વિટાયેલી હતી અને બીજુ બાળક ઓછુ રડતું હોય, એમ્બ્યુલન્સમાં હાજર ઇએનટી રવિકુમાર ચૌહાણ તથા ગજેન્દ્રસિંહ જાડેજાએ સારવાર આપી બંને બાળકો સાથે માતાનો જીવ બચાવી હેમખેમ જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતાં. 108 એમ્બ્યુલન્સની પ્રશંસનિય કામગીરીને પ્રસૃતાના પરિવારજનો તથા સ્થાનિક રહેવાસીઓએ બિરદાવી તેમનો આભાર માન્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular