Sunday, September 8, 2024
Homeરાજ્યપીઠડિયા નજીક વાડી વિસ્તારમાં યુવાનનો ગળેફાંસો

પીઠડિયા નજીક વાડી વિસ્તારમાં યુવાનનો ગળેફાંસો

લાકડાની આડીમાં સાલ વડે ગળેટૂંપો આપી જિંદગી ટૂંકાવી : પોલીસ દ્વારા કારણ જાણવા પૂછપરછ

- Advertisement -

કાલાવડ તાલુકાના પીઠડીયા ગામથી મોટા વડાળા તરફ જવાના માર્ગ પર ખેતરમાં રહેતાં ભરવાડ યુવાને લાકડાની આડીમાં સાલ વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. બનાવની જાણના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, કાલાવડ તાલુકાના પીઠડીયા ગામથી મોટા વડાળા તરફ જવાના રસ્તામાં બાબુભાઈ ભંડેરીના ખેતરમાં રહેતાં અને માલધારીનો વ્યવસાય કરતા મચ્છાભાઈ પબાભાઈ ગમારા (ઉ.વ.35) નામના યુવાને બુધવારે બપોરના સમયે લાકડાની આડીમાં સાલ વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં યુવાનને સારવાર માટે યુવાનને નજીકની હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. બનાવ અંગે મૃતકના ભાઈ ઘેલાભાઈ દ્વારા જાણ કરાતા હેકો એન.કે. છૈયા તથા સ્ટાફે હોસ્પિટલે પહોંચી જઇ મૃતદેહને પીએમ માટે મોકલી આત્મહત્યાનું કારણ જાણવા પરિવારજનોની પૂછપરછ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular