Sunday, September 8, 2024
Homeરાજ્યજામનગરનબળી આર્થિક પરિસ્થિતિના કારણે લગ્ન ન થતા યુવાને દવા ગટગટાવી

નબળી આર્થિક પરિસ્થિતિના કારણે લગ્ન ન થતા યુવાને દવા ગટગટાવી

સારવાર દરમિયાન જી. જી. હોસ્પિટલમાં મોત : દર્શન કરવા જતાં પ્રૌઢનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ : પોલીસ દ્વારા કાર્યવાહી

- Advertisement -

જામનગર શહેરમાં વિકટોરિયા પુલ પાસેના વિસ્તારમાં રહેતાં અને છૂટક મજૂરી કામ કરતા યુવાનની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે લગ્ન થયા ન હોવાથી મનમાં લાગી આવતા તેના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં અહીંની સરકારી હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. જામનગર તાલુકાના જૂના નાગના ગામમાં દર્શન કરવા જતાં સમયે હૃદયરોગનો હુમલો આવતા પ્રૌઢનું મોત નિપજ્યું હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં વિકટોરિયા પુલ રોડ પર એમ વી બિલ્ડિંગમાં ભાડે રહેતાં અને છૂટક લુહારી કામની મજૂરી કરતા જયેશભાઈ દેવજીભાઈ સોલંકી (ઉ.વ.42) નામના યુવાનના ઘરની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હોવાથી તેના લગ્ન થયા ન હતાં. આ બાબતનું મનમાં લાગી આવતા ગત તા.13 ફેબ્રુઆરીના રોજ સવારના સમયે અંબાજી ચોક, પઠાણ ફળી વિસ્તારમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં બેશુધ્ધ હાલતમાં યુવાનને સારવાર માટે અહીંની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મંગળવારે સવારના સમયે સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના ભાઈ રાજેન્દ્ર દ્વારા જાણ કરાતા હેકો આર.ડી. ગાંભવા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહને પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.

બીજો બનાવ, જામનગર તાલુકાના જૂના નાગના ગામમાં રહેતાં અને પ્લમ્બીંગ કામ કરતા અમૃતલાલ જેઠાભાઈ રાઠોડ (ઉ.વ.52) નામના પ્રૌઢ સોમવારે સવારના સમયે તેના ઘરેથી મામાદેવના મંદિરે દર્શન કરવા જતાં હતાં ત્યારે જૂના નાગના અને નવા નાગનાની વચ્ચે પહોંચ્યા ત્યારે એકાએક ચકકર આવતા બેશુધ્ધ થઈ જમીન પર પડી ગયા હતાં. ત્યારબાદ પ્રૌઢને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પુત્ર સુરેશભાઈ દ્વારા જાણ કરાતા હેકો કે.કે.ગઢવી તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી વધુ કાર્યવાહી આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular