Sunday, September 8, 2024
Homeરાજ્યજામનગરબીમારીથી કંટાળી મહિલાની ગળેફાંસો ખાઈ આત્મહત્યા

બીમારીથી કંટાળી મહિલાની ગળેફાંસો ખાઈ આત્મહત્યા

સાત વર્ષથી થયેલી માનસિક બીમારીથી કંટાળી ભર્યુ પગલું : સાડી વડે ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી : પોલીસ દ્વારા તપાસ

- Advertisement -

જામનગર તાલુકાના હાપા ગામમાં આવેલી શિવ શકિત સોસાયટીમાં રહેતાં મહિલાએ સાત વર્ષથી થયેલી માનસિક બીમારીથી કંટાળીને તેણીના ઘરે ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના હાપા ગામમાં આવેલી શિવ શકિત સોસાયટીમાં રહેતાં જ્યોત્સનાબેન બકુલભાઈ મકવાણા (ઉ.વ.49) નામના મહિલાને છેલ્લાં સાત વર્ષથી માનસિક બીમારી થઈ હતી અને આ બીમારીની સારવાર કરાવવા છતાં તબિયતમાં સુધારો થતો ન હોવાથી જિંદગીથી કંટાળીને મંગળવારે વહેલીસવારના સમયે તેણીના ઘરે સાડીમાં પંખામાં વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ બનાવ અંગેની મૃતકના પતિ બકુલભાઈ દ્વારા જાણ કરાતા હેકો એચ.બી. પાંડવ તથા સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular