Saturday, January 10, 2026
Homeરાજ્યભાણવડના યુવાને અકળ કારણોસર જિંદગી ટૂંકાવી

ભાણવડના યુવાને અકળ કારણોસર જિંદગી ટૂંકાવી

રાણપરના યુવાને ઝેરી દવા પીને આપઘાત કર્યો

દ્વારકા જિલ્લાના ભાણવડ ગામમાં રહેતાં વિદ્યાર્થી યુવકે અગમ્યકારણોસર તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. ભાણવડ તાલુકાના રાણપર ગામમાં રહેતાં યુવાને માનસિક બીમારીથી કંટાળીને ઝેરી દવા પી આપઘાત કરતાં પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ આરંભી હતી.

- Advertisement -

પ્રથમ બનાવની વિગત મુજબ, ભાણવડ ખાતે રહેતા રબારી પુંજાભાઈ માંડાભાઈ ચાવડા નામના 22 વર્ષના વિદ્યાર્થી યુવાને કોઈ અકળકારણોસર શનિવારે સવારના સમયે પોતાના ઘરે પંખાના હુકમાં દોરી બાંધીને ગળાફાંસો ખાઈ લેતા તેનો નિષ્પ્રાણ દેહ સાંપડ્યો હતો. આ બનાવની જાણ વીરાભાઈ માંડા ચાવડાએ ભાણવડ પોલીસને જાણ કરી છે.
બીજો બનાવ, અન્ય એક બનાવમાં ભાણવડ તાલુકાના રાણપર ગામના રામભાઈ મુરુભાઈ ઓડેદરા નામના 45 વર્ષના મેર યુવાને માનસિક બીમારીથી કંટાળીને પોતાના હાથે ઝેરી દવા પી લેતા વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમના મૃત્યુ નિપજ્યું હતું. આ અંગેની જાણ જગાભાઈ મુળુભાઈ ઓડેદરાએ ભાણવડ પોલીસને કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular