Sunday, September 8, 2024
Homeરાજ્યજામનગરમોટીહવેલીના બેટીજીના વિવાહ પ્રસ્તાવનો ત્રિ-દિવસિય મહોત્સવનો આજથી પ્રારંભ

મોટીહવેલીના બેટીજીના વિવાહ પ્રસ્તાવનો ત્રિ-દિવસિય મહોત્સવનો આજથી પ્રારંભ

- Advertisement -

જામનગરની મોટી હવેલીનાં ગાદીપતિ પૂ.પા.ગો.108શ્રી હરિરાયજી મહારાજનાં આત્મજ પૂ.પા.ગો. વલ્લભરાયજી મહોદયનાં આત્મજ ચિ. ગો. શ્યામારાજા બેટીજીનાં શુભ વિવાહ પ્રસ્તાવનો ઉત્સવ કારતક વદ આઠમ, નોમ અને દસમનાં તા. 5, 6 અને 7 ડિસેમ્બરનાં મ્યુનિ. કોર્પોરેશન મેદાન, શ્રીજી હોલ પાછળ, મેહુલનગર ટેલિફોન એક્સચેન્જ રોડ, જામનગરમાં નિર્ધારીત કરવામાં આવેલ છે. કારતક વદ આઠમ, નોમ અને દસમનાં યોજાનાર ત્રિ-દિવસીય મહોત્સવનો આવતીકાલથી આરંભ થવા જઈ રહ્યો છે. ત્યારે મહોત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ઉત્સવનાં સ્થળ મા તા. 5-12ના નિશ્ચય તાંબુલ (બડી સગાઈ), તા. 6-12નાં બપોરે વૃદ્ધિની સભા તથા સાંજે શુભ વિવાહ અને તા. 7-12નાં બડી પઠોની (વિદાઈ) સહિતનાં કાર્યક્રમ યોજાશે. બેટીજીના શુભવિવાહ પ્રસ્તાવનાં પગલે અને ત્રિ-દિવસીય ઉત્સવને પગલે બહારગામથી વૈષ્ણવોનું પણ મોટા પ્રમાણમાં આગમન થયું છે. ગઈકાલના વિશેષ કાર્યક્રમના ભાગ રૂપે હાલારી રાસ યોજવામાં આવ્યો હતો. જેમાં વૈષ્ણવો ભાઈ બહેનો દ્વારા આ રાસમાં બહોળી સંખ્યામાં જોડાયા હતા. તેમજ પૂ. ગોસ્વામીજીઓ પણ આ રાસમાં ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular