Tuesday, September 17, 2024
Homeરાજ્યદુર્ઘટના અંગે સંચાલક એજન્સી સામે બિનઇરાદીત હત્યાની ફરિયાદ

દુર્ઘટના અંગે સંચાલક એજન્સી સામે બિનઇરાદીત હત્યાની ફરિયાદ

- Advertisement -

રવિવારે સર્જાયેલી ઝુલતો પુલ તૂટવાની દુર્ઘટના અંગે જવાબદારો સામે બિનઇરાદીત માનવવધનો અપરાધ નોંધવામાં આવ્યો છે. આ અંગે પુલના સમારકામ કરનાર એજન્સી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે સરકારે આ અંગે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.

- Advertisement -

આ દુર્ઘટનામાં કલમ 304, 308, 114 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે એવું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ ફરિયાદ થઈ હોવાનું એક ટ્વીટ કરી જાહેર કર્યું હતું પણ આ ઘટનામાં ગુનેગારો કોણ છે તે અંગે કોઈ ફોડ પાડ્યો ન હતો. મોરબીની ઘટનામાં પોલીસ ફરિયાદ થઈ છે જેમાં સદોષ માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ફરિયાદ પુલનું સમારકામ કરનાર તેમજ સંચાલન કરનાર એજન્સી સામે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. જોકે, ફરિયાદમાં બન્નેમાંથી એકપણ એજન્સીના નામ લખવામાં નથી આવ્યા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular