Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરખંભાળિયાના વડત્રા ફીડરનો વીજ પુરવઠો અનિયમિત બની રહેતા ખેડૂતોની હાલત કફોડી

ખંભાળિયાના વડત્રા ફીડરનો વીજ પુરવઠો અનિયમિત બની રહેતા ખેડૂતોની હાલત કફોડી

ધરતીપુત્રો દ્વારા સામુહિક ઉગ્ર રજૂઆતો

ખંભાળિયા પીજીવીસીએલ હેઠળના વડત્રા વિસ્તારના વીજ ફીડરનો પુરવઠો છેલ્લા ત્રણેક દિવસ થયા અનિયમિત બની રહેતા સ્થાનિક ખેડૂતોમાં ઉગ્ર રોષની લાગણી જોવા મળી છે. આ મુદ્દે સ્થાનિક ખેડૂતો દ્વારા વીજ સત્તાવાળાઓને સામુહિક રીતે રજૂઆતો કરવામાં આવી છે.

- Advertisement -

ખંભાળિયા તાલુકાના વડત્રા, ઝાખસીયા, આસોટા, બેહ સહિતના ગામો કે જે વડત્રા ફીડર હેઠળ આવે છે, આ ગામોનો છેલ્લા ત્રણેક દિવસથી વીજ પુરવઠો અનિયમિત બની રહેતા અને આ વિજ ધાંધિયાના કારણે ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય, જુદા-જુદા ગામના ખેડૂતો પીજીવીસીએલ કચેરીએ દોડી આવ્યા હતા અને આક્રોસ સાથે સત્તાવાળાઓને ફરિયાદ કરી હતી.

હાલ ઘણા સમયથી વરસાદ ન હોય અને મગફળી સહિતના પાક મહદ અંશે તૈયાર હોવાના કારણે આ પાકને પિયત કરવું ફરજિયાત બની રહ્યું છે. તે માટે વીજ પુરવઠો અનિવાર્ય હોવાની પરિસ્થિતિમાં છેલ્લા ત્રણ દિવસથી વડત્રા ફીડરમાં પૂરતો વીજપુરવઠો ન અપાતો હોવાના કારણે ખેડૂતો પિયત કરી શકતા નથી. જેના કારણે ખેડૂતો હાલ કફોડી હાલતમાં મુકાઈ ગયા હોય, આ મુદ્દે અહીંના વીજ ઇજનેરને સામુહિક રજૂઆત કરી, ધરણા કરવામાં આવ્યા હતા.
આ મુદ્દે કાર્યપાલક ઇજનેર પટેલે રજૂઆતોને ધ્યાને લઇ, આ મુદ્દે તાકીદે યોગ્ય કરવાની ખાતરી આપી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular