Sunday, January 11, 2026
Homeરાજ્યજામનગરબીમારીથી કંટાળી યુવાનની ગળેફાંસો ખાઈ આત્મહત્યા

બીમારીથી કંટાળી યુવાનની ગળેફાંસો ખાઈ આત્મહત્યા

જામનગર શહેરના ગણેશવાસ વિસ્તારમાં રહેતાં અને મજૂરીકામ કરતા યુવાને માનસિક બીમારીથી કંટાળીને તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં ગણેશવાસમાં ફુલિયા હનુમાનજી રામાપીરના મંદિર પાછળ રહેતાં પ્રવિણભાઈ દિનેશભાઈ પરમાર (ઉ.વ.30) નામના મજૂરી કામ કરતા યુવાનને ખેંચ અને માનસિક બીમારી હોય આ બીમારીથી કંટાળી જઈ સોમવારે સાંજના સમયે તેના ઘરે છતના પંખામાં સાડી વડે ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી હતી. આ બનાવની જાણ હેમાબેન દ્વારા કરવામાં આવતા પીએસઆઈ એમ.જી. વસાવા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular