Friday, October 18, 2024
Homeરાજ્યજામનગરલ્યો બોલો... તસ્કરો ઠામવાસણ અને પંખા ચોરી ગયા....!

લ્યો બોલો… તસ્કરો ઠામવાસણ અને પંખા ચોરી ગયા….!

- Advertisement -

જામનગર શહેરના સિધ્ધાર્થનગર ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતાં શ્રમિક મહિલાના મકાનમાંથી અજાણ્યા તસ્કરો બારસાક તોડીને પંખો, વાસણ અને ઈલેકટ્રીક વજન કાંટા સહિતનો સામાન ચોરી કરી ગયા હતાં. આ અંગે પોલીસ દ્વારા અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના સિધ્ધાર્થનગર શેરી નં.4, ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતાં રામીબેન ધનજીભાઈ પરમારના ઘરમાં તા.31/05/2023 થી એક અઠવાડિયા અગાઉના સમય દરમિયાન અજાણ્યા શખ્સો ઘરની દિવાલ ઠેકીને ઘરમાં પ્રવેશી દરવાજામાં ધકો મારીને સિમેન્ટના બારસાક તોડી રૂમમાંથી રૂા.1000 ની કિંમતનો સીલીંગ ફેન, રૂા.1500 ની કિંમતના થાળી-વાટકા સહિતના વાસણો તથા એક હજારની કિંમતના બકાલુ જોખવાનો ઇલેકટ્રીક કાંટો સહિત રૂા.3500 ની કિંમતનો સામાન ચોરી કરી ગયા હતાં. આ અંગે રામીબેનની ફરિયાદના આધારે સીટી સી ના પીએસઆઈ કે.આર. સિસોદીયા દ્વારા અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular