Saturday, April 12, 2025
Homeરાજ્યજામનગરસમર્પણ હોસ્પિટલને એમ.આર.આઈ મશીનની ખરીદી માટે મળ્યું 1કરોડ 11લાખ 11 હજાર 111...

સમર્પણ હોસ્પિટલને એમ.આર.આઈ મશીનની ખરીદી માટે મળ્યું 1કરોડ 11લાખ 11 હજાર 111 રૂપિયાનું અનુદાન

જામનગરમાં આવેલ સમર્પણ હોસ્પિટલ દ્વારા 13 કરોડના એમ.આર.આઈ અને સી.ટીસ્કેન મશીનની ખરીદી કરવામાં આવનાર છે. જેના ફંડ માટે સત્ય કબીર સેવાધામ ફાઉન્ડેશનના ડાયરેક્ટર વસ્તાભાઈ કેશવાલા દ્વારા સમપર્ણ હોસ્પિટલને એમ.આર.આઈ મશીનની ખરીદીના ફંડ માટે 1કરોડ, 11લાખ, 11હજાર,111 રૂપિયાનું અનુદાન પરમ વંદનીય ગુરુદેવ રામ સવૃપાદાસજી મહારાજના ચરણોમાં અર્પણ કરવામાં આવ્યું છે.

- Advertisement -

વસ્તાભાઈએ આ અંગે જણાવ્યું હતું કે ઈશ્વરે આપેલ સંપત્તિ માંથી અમુક ભાગ ઈશ્વરના કામમાં વાપરવો જોઈએ. ઈશ્વર વાપરેલ ધનનું અનેકગણું કરીને આપે છે. તે મારો જાત અનુભવ છે. હવે તો બસ  મશીનો જલ્દી આવે અને ગરીબોની અને જરૂરીયાત મંદોની સારવાર થાય તેની આતુરતાપૂર્વક રાહ જોવ છુ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular