Saturday, January 17, 2026
Homeરાજ્યજામનગરVideo : દિગ્જામ સર્કલ નજીક આવેલા વિસ્તારોના લોકોના પૂન:વસન બાબતે કમિશનરને રજૂઆત

Video : દિગ્જામ સર્કલ નજીક આવેલા વિસ્તારોના લોકોના પૂન:વસન બાબતે કમિશનરને રજૂઆત

રેલવે વિભાગ દ્વારા ઘર ખાલી કરી દેવાની નોટિસ અપાતા આવેદનપત્ર પાઠવાયું

દિગ્જામ સર્કલ પાસે આવેલા હનુમાન ટેકરી, ગણપતનગર, સિધ્ધાર્થનગર, બાવરી વાસ, દેવનગર તેમજ રેલવે લાઈનની બન્ને બાજુના વિસ્તારમાં રહેતાં લોકોને રેલવે વિભાગ દ્વારા ઘર ખાલી કરી દેવા નોટિસ આપવામાં આવી છે.

- Advertisement -

આ નોટિસમાં ત્યાંના રહીશોને જવાબ આપવાનો સમય પણ આપવામાં આવ્યો નથી. તેમજ નોટિસને માત્ર લોકોના ઘર ઉપર ચોટાડી દેવામાં આવે છે. અહીં રહેતાં લોકો માટે કોઇપણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા કે પુન:વસનની વ્યવસ્થા કરી નથી. આથી આ વિસ્તારના લોકો માટે પૂન:વસનની વ્યવસ્થા કરવા પશ્ર્ચિમ ભારત મજૂર અધિકાર મંચ દ્વારા કમિશનરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular