Thursday, January 22, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા - VIDEO

જામનગરમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા – VIDEO

ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે જામનગર જિલ્લામાં માર્ગ સલામતી અંગે જનજાગૃતિ ફેલાવવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -

આ અંતર્ગત જામનગર આરટીઓ કચેરી ખાતે નિશુલ્ક આંખ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આરટીઓ કચેરીએ આવતા વાહનચાલકો તેમજ નાગરિકોએ આ કેમ્પમાં પોતાની આંખોની તપાસ કરાવી હતી. માર્ગ સલામતીમાં દૃષ્ટિનું મહત્વ હોવાને કારણે આ કેમ્પને લોકોએ ભારે પ્રતિસાદ આપ્યો હતો.

- Advertisement -

કેમ્પ દરમિયાન મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. આંખોની યોગ્ય તપાસથી વાહન અકસ્માતો ઘટાડવામાં મદદરૂપ બની શકે છે, તે અંગે પણ નાગરિકોને સમજાવવામાં આવ્યું હતું.

આ સમગ્ર આયોજન આરટીઓ કચેરી અને ટ્રાફિક પોલીસના સંયુક્ત પ્રયાસોથી કરવામાં આવ્યું હતું. માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવા અને અકસ્માતો ઘટાડવા માટે આવનારા દિવસોમાં પણ આવા જાગૃતિસભર કાર્યક્રમો યોજવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular