Friday, March 21, 2025
Homeરાજ્યજામનગરPGVCL દ્વારા જામનગરમાં વીજચોરી બદલ 41.27 લાખના વીજપૂરવણી બીલ અપાયા

PGVCL દ્વારા જામનગરમાં વીજચોરી બદલ 41.27 લાખના વીજપૂરવણી બીલ અપાયા

80 વીજજોડાણોમાં ગેરરીતિ ઝડપાઇ

PGVCL દ્વારા જામનગરમાં આજરોજ વિવિધ વિસ્તારોમાં વીજચોરી અંગે દરોડા પાડવામાં આવ્યા હતાં. જેમાં કુલ 80 વીજજોડાણોમાં ગેરરીતિ ઝડપાતા 41.27 લાખના વીજ પૂરવણી બીલ ફટકારવામાં આવ્યાં હતાં.

- Advertisement -

PGVCLના વિવિધ સબ ડિવિઝન દ્વારા આજે વીજચોરીનું ચેકિંગ હાથ ધરવામાં આવતાં વીજચોરોમાં ફફડાટ ફેલાયો હતો. આજે ખંભાળિયા ગેઇટ ડિવિઝન, નગરસીમ એસડીએન ઓફ સીટી-2 ડિવિઝન હેઠળના વિવિધ વિસ્તારો જેવા કે, નાગરપરા, કિસાનચોક, કાલાવડ નાકા બહાર, શંકરટેકરી, 49-દિગ્જિય પ્લોટ સહિતના વિસ્તારોમાં વીજચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ વીજચેકીંગ દરમિયાન 457 જેટલા વીજજોડાણોમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. તે પૈકી 80 વીજજોડાણોમાં ગેરરીતિ જોવા મળતા 41.27 લાખના વીજપૂરવણી બીલ ફટકારાયા હતાં. આ વીજચેકીંગમાં કુલ 33 ટીમો જોડાઇ હતી. એસઆરપીના 13 જવાનો, 20 લોકલ પોલીસ સહિતના અધિકારીઓ-કર્મચારીઓની ટીમ દ્વારા વીજ ચેકીંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular