Friday, September 20, 2024
Homeરાજ્યહાલારદ્વારકા દર્શનાર્થે જતા પદયાત્રીઓને કારચાલકે હડફેટે લીધા

દ્વારકા દર્શનાર્થે જતા પદયાત્રીઓને કારચાલકે હડફેટે લીધા

- Advertisement -

દ્વારકા ખાતે કાળિયા ઠાકોરના દર્શન કરવા માટે સંઘમાં નીકળેલા સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના મીઠાભાઈ હરિભાઈ આલ નામના 39 વર્ષના રબારી યુવાન તથા તેમની સાથે જઈ રહેલા જુદા જુદા ત્રણ ગામોના પદયાત્રીકો ગઈકાલે ગુરુવારે સાંજના સમયે દ્વારકાથી આશરે ચાર કિલોમીટર દૂર મૂળવાનાથની જગ્યા પાસે પહોંચ્યા, ત્યારે આ માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા આઈ-20 મોટરકાર નંબર જીજે-10-એપી-7465 ના ચાલકે તેઓને અડફેટે લેતા આ ટક્કરમાં રઘુભાઈ વળાભાઈ ભુંગોર, વીરાભાઈ, નરસંગભાઈ ભગવાનભાઈ ભુંગોર, ધીરુભાઈ દેવાભાઈ ઠાકોર તેમજ મીઠાભાઈ હરિભાઈ આલને ફ્રેકચર સહિતની નાની-મોટી ઇજાઓ સાથે સ્થાનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.

- Advertisement -

આ સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસે મીઠાભાઈ રબારીની ફરિયાદ પરથી આઈ-20 કારના સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular